શિક્ષકદિન
તેલાવ પ્રાથમિક શાળા દ્વારા આજે શિક્ષકદિન ની ઉજવણી કરવામાં આવી હતી. આખો દિવસ બાળ ગુરૂ ઓના કિલ્લોલ થી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ધોરણ 04 થી 8 ના વિધાર્થીઓ એ ભાગ લીધો હતો. શાળા ના આચાર્ય તરીકેકિરણ રાજેન્નેદ્રસિંહ બારડ ને પસંદ કરવામાં આવ્યા હતા. 45 થી વધુ બાળકો એ ભાગ લીધો હતો. આખો દિવસ પિરીયડ પધ્ધતિ થી 08 પિરીયડ લેવા માં આવ્યા હતા. જેમાં આજે બાળગુરૂઓ 01 થી 8 ના વિધાર્થીઓ ને શિક્ષણ આપ્યું હતું.
અંતે શાળા ના આચાર્સાય શ્હેરી વિજયકુમાર કે પટેલ ના અધ્યક્ષ સ્થાને ભાવ પ્રતિભાવ કાયૅકમ રાખવામાં આવ્યો હતો. કાયૅકમ ની શરૂઆત શાળા ના આચાર્ય શ્રી વિજયભાઈ એ આજ ના દિવસ નું મહત્વ સમજાવ્યું હતું. અને આજના શિક્ષકો એ પોતાના અનુભવો જણાવ્યા હતા. વિધાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.
છેલ્લે ગણિત ના ઉત્સાહિત શિક્ષક શ્રી વિનોદભાઈ સાહેબે સારી કામગીરી કરનાર વિધાર્થીઓ ને બિરદાવ્યા હતા અને બધા નો આભાર માન્યો હતો. અને રાષ્ટ્રગીત બોલી છુટા પડ્યા હતા.